• Home
  • Health
  • Diseases & Conditions
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું ખતરો: 12 બાળકોનાં morts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું ખતરો: 12 બાળકોનાં મોત, શહેરોમાં પણ જોખમ

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Jul 15, 2026, 06:27 AM IST
7 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 12 મોત થયા છે. આ વાયરસને કારણે શહેરોમાં પણ બાળકોને જોખમ છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે.

2024માં ગુજરાતમાં 82 બાળકોને ભરખી જનારો ચાંદીપુરા વાયરસ આ વખતે 12 બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે. જેના કારણે આ વાયરસ શરીરમાં ઘૂસે છે તે સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) ગુજરાતના ગામડાંમાં જ છે? શું આ માખી શહેરમાં હોઈ શકે? ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન ગોથ.

2024માં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 82 બાળકોનાં morts થયા હતા. એ વખતે વ્હાલસોયાને અંતિમ વિદાય આપતી મહિલાઓના હાથની તસવીરે સૌને ભાવુક કરી દીધા હતા.

સવાલ-1 : સેન્ડ માખી ગુજરાતના ગામડાંઓમાં જ છે કે શહેરોમાં આવી શકે? જવાબ : આ માખી ગામડાંમાં જ જન્મે છે ને ઊડતી ઊડતી શહેરમાં આવી જાય એવું હોતું નથી. ગંદકી, ભેજ, જૂની ઈમારતો હોય ત્યાં આપમેળે જન્મી જાય છે. એટલે એવું માનવાની જરૂર નથી કે આ ખતરનાક માખી માત્ર ગામડાંઓમાં જ છે. શહેરોમાં પણ આ માખી હોઈ શકે છે. શહેરોના મા-બાપે પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકને થોડો પણ તાવ આવે તો ડોક્ટર પાસે દોડો. ઘરમેળે દવા લેવાનું ટાળો. બની શકે કે ભૂરા રંગની જીણી માખી તમારી આસપાસ પણ ક્યાંક હોય.

ગુજરાતના આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર ડૉ. નીલમ પટેલે કહ્યું કે, 2024માં ત્રણ મહાનગરપાલિકા વિસ્તારમાં કેસ આવ્યા હતા. અમદાવાદમાં 3, સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ આવ્યો હતો. એટલે એવું નથી કે ચાંદીપુરા ગામડાંના બાળકોને જ થાય. શહેરમાં આવી શકે પણ તેનું પ્રમાણ બહુ ઓછું રહ્યું છે. 2024 પછી તો શહેરોમાં કોઈ કેસ થયો નથી.

બાયોલોજીના નિવૃત્ત શિક્ષક અને એન્ટોમોલોજી (કીટક શાસ્ત્ર)ના જાણકાર વિનોદ પંડ્યા કહે છે, ભેજવાળી જગ્યા, નાની તિરાડો, કાદવ, ઉકરડા હોય ત્યાં માદા ઈંડા મૂકે છે. એટલે જરૂરી નથી કે ગામડાંમાં જ થાય. શહેરોમાં ગંદકી હશે, જૂની ભેજવાળી ઈમારતો હશે ત્યાં આ માખી હશે જ.

સવાલ-2 : ગામડાંના બાળકો વાયરસનો શિકાર બને છે, શું શહેરોના બાળકો પર જોખમ છે? જવાબ : હા. ચોક્કસપણે શહેરોના બાળકો પર પણ ચાંદીપુરા વાયરસનું જોખમ છે. સોસાયટીઓમાં કે આસપાસ આ ખતરનાક સેન્ડ માખી હોઈ શકે છે. બાળક હાફ સ્લિવની ટીશર્ટ કે ચડ્ડી પહેરીને રમતું હશે તો માખી કરડી જવાની સંભાવના છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી કહે છે, ગામડાં કરતાં શહેરોના બાળકોને ચાંદીપુરા વાયરસ થાય તેના ચાન્સ ઓછા છે પણ ઝીરો ન કહી શકાય. એટલે તકેદારી તો રાખવી જ જોઈએ. ગંદકી હશે ત્યાં સેન્ડ ફ્લાય હશે. બાળકને થોડો પણ તાવ, ઊલટી, ઝાડાની અસર લાગે તો શરૂઆતના ગોલ્ડન અવર્સ હોય છે, એ દરમિયાન ટ્રીટમેન્ટ લઈ લેવી હિતાવહ છે.

ડો. જોશી કહે છે, આ માખી મોટા લોકોને પણ કરડે છે પણ તેની રોગપ્રતિકારક શક્તિ સારી હોય એટલે વાયરસ અસર કરી શકતો નથી. 15 વર્ષથી નીચેના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે આ વાયરસ તરત હાવી થઈ જાય છે. ચાંદીપુરા વાયરસની કોઈ ડેફિનેટ દવા કે વેક્સિન નથી એટલે પ્રિવેન્સન ઈઝ બેટર ધેન ક્યોર.

સવાલ-3 : જે બાળકોને ચેપ લાગ્યો હોય તેનાં મૃત્યુ નક્કી છે? જવાબ : અમદાવાદની ડિવાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થના ચીફ ન્યૂનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન ડો. દેવાંગ સોલંકી કહે છે, બાળકોની કેપેસિટી પર આધાર રાખે છે. તેના મગજમાં આ વાયરસ કેટલો હાવી થઈ ગયો છે તે જોવું પડે. જો 60%થી 70% સુધી વાયરસ મગજમાં ઘૂસી ગયો હોય તો બાળકને બચાવવું મુશ્કેલ છે.

તેમણે આગળ કહ્યું, ચોમાસાની સીઝનમાં ફરવા જવાનો ટ્રેન્ડ છે. જંગલોમાં ટ્રેકિંગ, ફરવા જવાનું ટાળીએ તો આ માખીથી બાળકોને બચાવી શકાય. મોટાભાગના વાયરસ ચેપી હોય છે એટલે એક બાળકને અસર થઈ ને બીજું તેના સંપર્કમાં આવે તો ચેપ લાગી પણ શકે. એટલે કોરોના સમયે જે પેટર્ન અપનાવી હતી તે અપનાવવી જોઈએ. માસ્ક, સેનેટાઈઝર, ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવાના... આ બધું કરીએ તો બાળકોને બચાવી શકાય.

જ્યારે જ્યારે ચાંદીપુરા આવે છે ત્યારે હોસ્પિટલમાં આવા દ્રશ્યો જોવા મળે છે. મા-બાપ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા બાળકને સાજું કરી દેજો…

સવાલ-4 : ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન શું રહી છે, હવે આગળ શું? જવાબ : સાબરકાંઠા, મહેસાણા, ખેડા, મહિસાગર અને અરવલ્લી. આ 5 જિલ્લામાં ચાંદીપુરા વાયરસની વધારે અસર જોવા મળી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર ડૉ. નીલમ પટેલે કહ્યું કે, ચાંદીપુરા એક જ ગામમાં ફરી જોવા નથી મળતો. ક્યારેક તો તાલુકા પણ રિપિટ થતા નથી. ઘણીવાર તો એક ગામમાં થયો હોય તો બીજા વર્ષે તેનાથી અનેક કિલોમીટર દૂર બીજા ગામમાં આ કેસ જોવા મળે.

2024માં ઘણા કેસ આવ્યા હતા, 2025માં ખેડાના એક ગામમાં એક જ કેસ આવ્યો હતો. મતલબ કે 2025માં ગુજરાતમાં એક જ કેસ હતો. હવે 2026માં ફરી કેસ વધ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન સમજાય તેવી નથી. અનિશ્ચિત છે. આ મોટી ચેલેન્જ છે. આરોગ્ય વિભાગની ટીમ મહેનત કરે છે પરંતુ મહેનત ક્યાં કરવી તે સમજાતું નથી. ગામના લોકોને અમે અવેર કરીએ છીએ કે, દીવાલથી પલંગ દૂર રાખીને સુવે. જેથી દીવાલમાં રહેલી માખી સીધી સંપર્કમાં ન આવે. આ સિવાય ઘણી બધી બાબતો પણ સમજાવીએ છીએ. ચાંદીપુરામાં માત્ર ને માત્ર અવેરનેસ, જાગૃતિ લાવવી જ એ મોટો ઉપાય છે.

અરવલ્લી જિલ્લાના આરોગ્ય અધિકારી જયેશ પરમારે કહ્યું કે, અરવલ્લી જિલ્લામાં 2024માં ચાંદીપુરાના 3 કેસ હતા. તેમાંથી 1 બાળકનું મોત થયું હતું. એ વખતે ભિલોડાના મોટા કંથારિયા અને મેઘરજના વાઘપુરમાંથી કેસ આવ્યા હતા. 2025માં કોઈ કેસ નહોતા પણ આ વખતે બાયડના ઓઠંબા પંથકના મેરાટીંબા ગામમાંથી શંકાસ્પદ કેસ આવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમ આવી ગઈ છે, અમે તેની સાથે મળીને એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. અમે એ પણ પ્રયાસ કરીએ છીએ કે દર વર્ષે આ વાયરસ ન આવે તેના માટે શું કરી શકાય. આ ઉપરાંત અમારી ટીમ ગામડે-ગામડે જઈને દરેક ઘરમાં પાવડર છાંટે છે, લોકોને તિરાડો બુરવા સમજાવીએ છીએ. આખી બાંયના કપડાં પહેરવા આગ્રહ કરીએ છીએ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે, બે કેસ વચ્ચે અંતર છે. ઉપરાઉપરી કેસ નથી આવ્યા. અમે ICMR સાથે મળીને એ સ્ટડી કરી રહ્યા છીએ કે અગાઉ ક્યા જિલ્લામાં કેસ થયા હતા, આ વખતે ક્યા જિલ્લામાં કેસ થયા છે અને એવા કયા જિલ્લા છે જ્યાંથી એકપણ કેસ સામે નથી આવ્યો. એટલે વાયરસની પેટર્ન સમજી રહ્યા છીએ. અમે અફેક્ટેડ અને નોન-અફેક્ટેડ એમ બંને જિલ્લાઓને અલગ તારવીને અભ્યાસ કરી રહ્યા છીએ. લાંબા સમયના અભ્યાસ પછી આનો ઉકેલ ચોક્કસ મળશે.

સવાલ-5 : સેન્ડ માખી આપણા ઘરમાં જોવા મળતી માખી જેવી જ હોય છે કે જુદી? જવાબ : બંને માખી તદ્દન અલગ છે. ઘરમાં જોવા મળતી કાળી માખી નરી આંખે જોઈ શકાય છે. સેન્ડ માખી મચ્છર કરતાં સહેજ જ મોટી હોય છે અને ભૂરી હોય છે એટલે પહેલી નજરમાં નરી આંખે જોઈ શકાતી નથી.

કીટક શાસ્ત્રના અભ્યાસુ વિનોદ પંડ્યા કહે છે, ચોમાસામાં જ્યારે તાપમાન 36 થી 46 ડિગ્રી થાય ત્યારે માદા ઈંડા મૂકે છે. પોતાનાં પ્રજનન વિસ્તારથી 107 મીટર સુધી સેન્ડ માખી ઊડતી હોય છે અને તેનાથી વધુ દૂર જતી નથી. માખી ઈંડામાંથી નીકળે પછી પુખ્ત થતાં 40થી 50 દિવસ લાગે છે. પછી તે 15 દિવસ જેટલું જીવન જીવે છે. પુખ્ત માદા માખી તેના જીવનકાળમાં એક જ વખત ઇંડાં મૂકે છે. તેની સંખ્યા 20થી 70 જેટલી હોય છે. આ ઈંડાને શરીરમાં બનાવવા ખાસ પોષક તત્વો જોઈએ તે લોહીમાંથી મળે. પછી એ લોહી પશુનું હોય કે માણસનું.

ચાંદીપુરા વાઇરસ માટે જવાબદાર સેન્ડ માખી બીજી બીમારીઓ પણ ફેલાવી શકે છે અને એટલા માટે તેને હળવાશમાં લઈ શકાય નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સેન્ડ ફ્લાયની 90 પ્રજાતિઓ લીશ્મેનિયા પેરેસાઇટ (પરોપજીવી) ફેલાવી શકે છે. ઘરમાખીનું જીવનચક્ર સેન્ડફ્લાય કરતાં ટૂંકું હોય છે. ઘરમાં જોવાં મળતી માખી 9થી 12 દિવસનું જ જીવનચક્ર છે. સેન્ડ માખી તેના કરતાં બે-ત્રણ દિવસ વધારે જીવે છે.

સવાલ-6: આ માખી કરડે પછી બાળકના મગજ સુધી વાયરસ પહોંચે છે કેવી રીતે? જવાબ : 'આઈસીલિન્ક' પર પ્રકાશિત થયેલા ડો. પ્રજ્ઞા અને ડો. કૌશલ ભાવસારના રિસર્ચ પેપર મુજબ, સેન્ડ માખીમાં નેપલ્સ (Naples), સિસિલિયન (Sicilian) અને ટોસકાના (Toscana) એમ ત્રણ પ્રકારના વાયરસ હોય છે. આ ત્રણમાંથી નેપલ્સ અને સિસિલિયન વાયરસ શરીરમાં જાય તો માત્ર તાવ આવે છે. વધારે નુકસાન કરતા નથી. પરંતુ ટોસકાના વાયરસ ખતરનાક છે. તે મગજ સુધી પહોંચી શકે છે.

રિસર્ચ પેપરમાં લખ્યું છે કે, ચાંદીપુરા વાયરસના ઈન્ફેક્શન બે પ્રકારના હોય છે. એક શરૂઆતમાં વાયરસ શરીરના શ્વેતકણ (વ્હાઈટ બ્લડ સેલ્સ)ને ઈન્ફેક્ટ કરે છે. તે પછી ન્યૂરોટ્રોપિક ફેઝ હોય છે. ન્યૂરોટ્રોપિક ફેઝ એટલે જેમ ખિસકોલી ઝાડનું થડ પકડીને ઉપર તરફ ચડી જાય છે એ રીતે વાયરસ કોશિકાઓને પકડીને ધીમે ધીમે મગજ સુધી જાય છે. આ રીતે આ વાયરસ નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) માં જતો રહે છે. જેનાથી એન્સેફ્લાઈટિસ જેવી ગંભીર બીમારી થાય છે. એન્સેફ્લાઈટિસ એટલે મગજનો તાવ.

માઈક્રોસ્કોપમાંથી જોઈએ તો ચાંદીપુરા વાયરસ આવો દેખાય છે.

Get More Updates

To learn more about the latest developments in Diseases & Conditions, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News